REPORT
સંત ઈગ્નાસના તહેવાર નિમીતે ગુજરાત ઈસુસંધ યુથ મિનીસ્ટ્રી
ધ્વારા તા.૨૯.૦૭.૨૦૧૮.ના રોજ માજીસ ડે ની કોમ્યુનિટી હોલ કેથોલિક ચર્ચ ગામડી આણંદ
ખાતે ઉજવણી કરવામા આવી.
મુખ્ય હેતુ ગત ૩ વર્ષ દરમ્યાન યોજાયેલા માજીસ કાર્યક્રમનુ
સ્નેહ મિલન અને ફોલો અપ થાય.
સમગ્ર ગુજરાત માથી યુથને આવકાર આપવામા આવ્યો હતો.લગભગ ૧૨૦
જેટલા યુવાધને(યુવાન - યુવતીઓ) ભાગ લીધો હતો.સંત ઈગ્નાસની ભક્તિ નુ પઠન કરીને કાર્યક્રમની શરુઆત કરવામા આવી.ઉપસ્થિત રહેલા મહેમાનો જેમા
ગુજરાત ઈસુસંધના પ્રાતંપતિ ફા.ફ્રાન્સિસ પરમાર એસ.જે.આણંદ કોમ્યુનિટીના રેક્ટર ફા.
એન્ટોની પીચાઈ એસ.જે.આણંદ તાબાના સભા યાગ્નિક ફા. મેક્સિમ એસ.જે.G JYMના માર્ગદર્શક ફા.નગિન એસ.જે. GJYM યુથ કમિશનના સભ્યો ફા.એથોની રાજ,ફા.જોન લોબો,ફા. મહેશ
અને.મહેમાનો ફા.અનિલ,બ્રધર અલ્પેશ,ફા.આલ્બટ,ફા. રોની,સી.નીલા ભાટીયા,સી. મંજુલા,સી.વર્ષા,અને અમદાવાદ ધર્મપ્રાતના યુથ ડિરેક્ટર ફા.વિક્રમ મહિડાની
ઉપસ્થિતીમા આ કાર્યક્રમ યોજાઓ.બધાને ફૂલ સાથે સ્વાગત કરવામા આવ્યો.પ્રાતપતિ ધ્વારા
પ્રોગ્રામને ખુલ્લો મુકવામા આવ્યો.માજીસ થીમ સોગ પર યુથે ડાન્સ કરીઓ.ફા.જીમ્મી
ધ્વારા સંત ઈગ્નાસના જીવન પર ખૂબ જ ઉડાણથી છણાવટ કરવામા આવી.ત્યારબાદ અલગ અલગ
જૂથમા બેસી પોતાના જીવન વિષે જુથમા ચર્ચમા કરવામા આવી.ફા.મહેશ ધ્વારા શ્રધ્ધાની
ઉજવણી(મિસ) કરવામા આવી.પોતાની આવડત બધાને વહેચવા આહવાન કર્યુ.સંગિત ટુકડી ધ્વારા
સંગિતના સૂરો સાથે ભક્તિમા વધારો કર્યો.ભોજનની મીજબાની માળી.પછી સંત ઈગ્નાસના
જીવન.પર આધારિત બે સ્મરણો પર આણંદ યુથ ધ્વારા નાટક કરવામા આવ્યુ.ત્યારબાદ જે તે
તાબામાથી આવેલા યુથ સાથે બેસી અગાવના સમયમા પોતાના તાબામા શુ કરી શકાય તેની ચર્ચા
કરી.છેલ્લે આભાર વ્યક્ત કરી.પ્રાર્થના સાથે છુટા પડ્યા.સમગ્ર કાર્યક્રમનુ આયોજન
આણંદ માજીસ યુથ ધ્વારા કરવામા આવ્યુ.
- હાર્દિક મેકવાન
No comments:
Post a Comment